નમસ્તે મિત્રો ,જિ.પ.મરાઠી પ્રા.શાળા આપનું હાર્દિક સ્વાગત કરે છે.. .

Sunday 7 July 2013

વિદ્યાસહાયક ભરતીના ઉમેદવારો માટેની સૂચના

વિદ્યાસહાયક ભરતીના ઉમેદવારો માટેની સૂચના

(1) પ્રથમ તબક્કામાં ગણિત-વિજ્ઞાન અને સામાજીક વિજ્ઞાનના વિષય માટેના ગુજરાતી માધ્યમના ઉમેદવારોને જિલ્લાપસંદગી માટે તા-૧૧-૭-૨૦૧૩ થી તા-૧૬-૭-૨૦૧૩ સુધી બોલાવેલ છે. (2) ગણિત-વિજ્ઞાન અને સામાજીક વિજ્ઞાનના જિલ્લા પસંદગીની કાર્યવાહી માટે તા-૭-૭-૨૦૧૩ ના 4.૦૦ કલાકથી ઉમેદવારોએ ઓન-લાઈન વેબસાઈટ ઉપરથી જ કોલ-લેટર મેળવી લેવાના રહેશે. અન્ય કોઈ પ્રકારે કોલ-લેટર મોકલવામાં આવશે નહિ. (3) પ્રથમ તબક્કામાં ગણિત-વિજ્ઞાન વિષયમાં ૬૪.૫૮ મેરીટ સુધીના ઉમેદવારો અને સામાજીક વિજ્ઞાનના વિષયમાં ૬૬.૭૭ મેરીટ સુધીના ઉમેદવારો કોલ-લેટર મેળવી શકશે. (4)શારીરિક અશક્તતા ધરાવતા નીચે જણાવેલા મેરીટ સુધીના ઉમેદવારો કોલ લેટર મેળવી શકશે. કેટેગરીગણિત-વિજ્ઞાનસામાજિક વિજ્ઞાન અલ્પદ્રષ્ટિ૫૮.૪૭૫૫.૫૮ હલનચલન (OH)૫૪.૫૧૬૩.૭૩ પીઆઇએલ નં. ૫૮/૨૦૧૩ માં નામદાર ગુજરાત હાઇકોર્ટના તા. ૨૮/૩/૨૦૧૩ ના વચગાળાના આદેશ અન્વયે શ્રવણની ખામી ધરાવતા ઉમેદવારો માટે જાહેરાતમાં દર્શાવેલી કુલ જગ્યાના ૧ ટકા જગ્યા ખાલી રાખવામાં આવેલ છે. (5) ભાષા વિષયના વિદ્યાસહાયકોની જિલ્લા પસદગીની કાર્યવાહી ગણિત-વિજ્ઞાન અને સામાજીક વિજ્ઞાનનાવિષયની જીલ્લા પસદગી કાર્યવાહી પૂર્ણ થયા બાદ શરૂ કરવામાં આવશે. કોલ-લેટર મેળવવા અહી ક્લીક કરવી

કોલ-લેટર મેળવવા અહી ક્લીક કરવી

No comments:

Post a Comment